સુંદરકાંડ (વાલ્મીકિ રામાયણ)-બે વિશિષ્ટ ગુણો
- gauresh panchal
- 2 days ago
- 4 min read
Updated: 2 days ago

વાલ્મીકિ રામાયણ, સંસ્કૃતની એક શ્રેષ્ઠ કાવ્યરચના, જે શ્રી રામ (શ્રી મહાવિષ્ણુના અવતાર)ની સુંદર રીતે કથા વાર્તા કરે છે. આ રામકથા છ કાંડો (પ્રકરણો)માં વિભાજિત છે. આમાં પાંચમો કાંડ - સુંદરકાંડ ખરેખર 'સુંદર' છે. તેમાં હનુમાનજીના શ્રેષ્ઠ ગુણોનું વર્ણન છે. આખુ વર્ણન રાવણ દ્વારા લંકામાં લઈ જવાયેલી સીતા માતાની શોધ સાથે સંકળાયેલું છે. સુંદરકાંડને અત્યંત પાવન માનવામાં આવે છે અને લોકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે તેનુ પારાયણ કરે છે.
![]() | આ શ્લોક હનુમત્સ્મરણના ઉત્તમ ફળનું વર્ણન કરે છે: बुद्धिः बलं यशो धैर्यं निर्भयत्वमरोगता। अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणाद्भवेत्॥
હનુમાનજીનું સ્મરણ કરવાથી વ્યક્તિને બુદ્ધિ, બળ, યશ, ધૈર્ય, નિર્ભયતા, આરોગ્ય, ચાપલ્ય અને વાણીપટુતા પ્રાપ્ત થાય છે. |
વાલ્મીકિ રામાયણના સુંદરકાંડમાં, ભગવાન હનુમાનને વારંવાર બે વિશિષ્ટ ગુણોથી વર્ણવવામાં આવ્યા છે — મહોત્સાહ (મહાન ઉત્સાહ-महोत्साहः) અને
— મહાબલ (અપ્રતિમ બળ-महाबलः).
આ બંને શબ્દો માત્ર તેમની શારીરિક અને માનસિક શક્તિ દર્શાવતા નથી, પરંતુ એક આધ્યાત્મિક સાધક અને કર્મયોગીના આદર્શ સ્વરૂપના પણ પ્રતીક છે.
![]() | મૂળ શ્લોક (સુંદરકાંડ, સર્ગ ૪૬, શ્લોક ૧૮): "ततस्तं ददृशुर्वीराः दीप्तमानं महाकपिम्। रश्मिमन्तमिवोद्यन्तं स्वतेजो रश्मिमालिनम्॥ तोरणस्थं महावेगं महोत्साहं महाबलम्॥" ગુજરાતી અનુવાદ: "પછી રાક્ષસોએ મહાવાનર - હનુમાનજી ને જોયા, જે પોતાની તેજસ્વિતા વડે દીપ્તમાન જણાતા હતા, જેમ ઉગતો સૂર્ય પોતાની કિરણો વડે પ્રકાશિત થતો હોય તેમ. એ હનુમાનજી લંકાના ભવ્ય દ્વાર પર ઊભેલ હતા, જે ઝડપમાં અદ્વિતીય, ઉત્સાહમાં મહાન અને બળમાં અપરિમિત હતા." |
મહોત્સાહ – પરમ ઉત્સાહનુ મુર્તિમંત સ્વરૂપ
ભારતીય પરંપરામાં "ઉત્સાહ" માત્ર શક્તિ કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે.
"મહોત્સાહ"નો અર્થ છે — અવિચલિત નિર્ધાર, તેજસ્વી ઉર્જા, અને કોઈપણ મુશ્કેલી સામેની અડગ પ્રતિબદ્ધતા.
હનુમાન પોતાનો મહોત્સાહ દર્શાવે છે જયારે તેઓ અનિશ્ચિતતા હોવા છતાં લંકા સુધી વિશાળ સમુદ્ર પાર કરવા સ્વયં આગળ આવે છે.
તેઓનો નિર્ધાર અહંકારથી નહીં, પરંતુ ધર્મ અને ભગવાન રામ પ્રત્યેની ભક્તિથી આવે છે.
શંકા કે થાક તેમની સામે આવ્યા હોવા છતાં, હનુમાન માનસિક રીતે કદી હર્યા નથી — તેમની આનંદમયતા બહારથી નકલી નથી, પણ સ્પષ્ટતા અને શ્રદ્ધાથી જન્મેલી એક દીર્ઘ જ્વાળાની જેમ છે.
મહાબલ – અપ્રતિમ બળનું પ્રાગટ્ય
હનુમાનની શારીરિક શક્તિ તો જાણીતિ છે, પણ "મહાબલ"નું અર્થઘટન આંતરિક બળ - ઇચ્છાશક્તિ, મૂલ્યો અને ચરિત્રબળ તરીકે પણ થાય છે.
જ્યારે લંકામાં દૈત્યો અથવા શક્તિશાળી લંકિનીનો સામનો થાય છે, ત્યારે હનુમાનનું બળ માત્ર શારીરિક નહીં, પણ સાથે સાથે નૈતિક અને દૈવી બને છે.
માતાજી સીતા સામે તેઓ જે સંયમ બતાવે છે, તે ધર્મ માટેનો તેમનો આદર અને દરેક પરિસ્થિતિનું વિવેકપૂર્ણ મૂલ્યાંકન હનુમાનજીનું મહાબલ દર્શાવે છે.
એક એવી શક્તિ જે ઘમંડથી નહીં, પણ વિદ્વતાથી ચાલે છે, એ છે મહાબલ.
આ બે ગુણો શા માટે મહત્વપૂર્ણ છે?
સુંદરકાંડમાં હનુમાન માત્ર કોઈ "સૂપરહીરો" નથી.
તેઓ સાધકના પ્રતીક છે — જે મહોત્સાહ અને મહાબલ દ્વારા અજ્ઞાનના સાગર (સંસાર)ને પાર કરી અને દિવ્યતા સુધી પહોંચે છે (માતા સીતા એ આત્માની તીવ્ર તરસ તરીકે જોવાય છે).
તેમનો ઉછાળો માત્ર સમુદ્ર પર નથી — તે તો ભય, આળસ અને મોહિતતાને પેલે પાર છે.
મહાવીરમ્ – પરમ વીર
તેમનું વીરત્વ તેમનાં નિષ્કપટ ધર્મમય કાર્યોમાં છે.
તેઓ શત્રુના પ્રદેશમાં પ્રસિદ્ધિ માટે નહીં, પણ ભગવાન રામના કાર્ય માટે જાય છે.
તેમનું વીરત્વ છે, બહારના શૌર્યમાં, અંદરનાં ભય, શંકા અને અહંકાર ઉપર જીત મેળવવામાં.
મહાકાયમ્ – દેહ અને આત્મામાં વિશાળતા
હનુમાનનો વિશાળ દેહ એક સંકેત છે કે તેઓ પોતાનો દેહ અને અહંકાર નિયંત્રિત કરી શકે છે.
"મહાકાય"નો અર્થ વધુ ઊંડો છે — તેમનું મન વિશાળ છે, તેમની કરુણા ઊંડી છે, અને તેમનાં લક્ષણો (વીરતા અને નમ્રતા, ઝડપ અને ધૈર્ય) એકજ દેહમાં સમાઈ જાય છે — જે તેમને એક સર્વાંગી આધ્યાત્મિક દૃષ્ટિ આપે છે.
મહામતિમ્ – મહાન બુદ્ધિ
હનુમાનના શ્રેષ્ઠ ગુણોમાં એક છે — મહામતિ:
વિશેષ બુદ્ધિ, તર્કશક્તિ અને વ્યૂહરચનામાં નિપુણતા.
લંકામાં તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે, સમજદારીપૂર્વક રૂપ પરિવર્તન કરે છે, શોભાસભર ભાષામાં સંવાદ કરે છે અને ઉતાવળભર્યા નિર્ણયો ટાળે છે.
તેઓની બુદ્ધિ સૂકી લોજિક નથી, પણ તે ભક્તિથી પ્રકાશિત, અનુભવથી ઘડાયેલ અને ધર્મથી માર્ગદર્શન પામેલ છે.
આ ગુણ તેમને રામજીનો શ્રેષ્ઠ દૂત બનાવે છે, જે ભાવનાત્મક અને રાજકીય બંને ક્ષેત્રોના સાગરમાં યથાયોગ્ય નાવ ચલાવી શકે છે.
મહાભુજં – તેમના વિક્રાળ ભુજાઓ
હનુમાનના મહાભુજ માત્ર યુદ્ધ માટેની શક્તિ નથી.
આ ભુજાઓ એ છે જેમણે સંજીવની પર્વત ઊંચક્યો,
જેમણે સમુદ્ર પાર કર્યો,
અને માતાજી સીતા સમક્ષ ભક્તિપૂર્વક જોડાયા.
આ ભુજાઓ રક્ષા કરે છે,
આ ભુજાઓ ઉંચે ઉઠાવે છે,
આ ભુજાઓ સેવા કરે છે — કારણ કે આ ભુજાઓ માત્ર ધર્મની દિશામાં જ ચાલી છે.
આ મહાભુજોએ કદી પણ સ્વાર્થ માટે કોઇ વસ્તુ ઝીલાવેલી નથી,
કદી પણ અહંકાર માટે કોપથી હલનચલન કરેલ નથી,
પણ આ ભુજાઓએ અધર્મનો નાશ કર્યો છે,
અને યોગ્ય કાર્ય માટે હંમેશાં સમર્પિત રહ્યા છે.
જ્યારે ભગવાન રામે હનુમાનને સાથ લાવ્યા,
ત્યારે તે મહાભક્તિ અને મહાબલનું મિલન હતું,
જાણે કે એક દૈવી ભુજાઓનું બીજાને નમન.

વિચાર કરો મહાન હનુમાનનો —
— બળમાં પરાક્રમી, પરંતુ ભગવાનના સૌથી વિનમ્ર સેવક;
— યુદ્ધમાં વિર, પરંતુ અંતરમાં એક સંતના સમાન.
તેમા આપણને માત્ર કાચું બળ નહી, પણ
~ઉદ્દેશ દ્વારા સંયમિત શક્તિ,
~વિવેક વડે માર્ગદર્શન પામેલી બુદ્ધિ, અને
~આસ્થામાં પાંગરેલો ઉત્સાહ
જોવા મળે છે.
હનુમાનના સ્મરણ માત્રથી આપણામાં રહેલું સુપ્ત દૈવીત્વ જાગૃત થાય છે, ભય નાશ પામે છે,
અને આપણે ઊભા રહીએ છીએ, નિર્ભયતાથી આપણા કર્મને આનંદ અને દ્રઢતા સાથે પુર્ણ કરવા માટે.
મહાબલ શરીરમાં,
મહામતિ મનમાં, અને
મહોત્સાહ હૃદયમાં
હોય તો માનવ શું હાંસલ ન કરી શકે?
હનુમાનના ચૈતન્યનું આવાહન કરો, તમે પણ વિઘ્નોનો સાગર સફળતાથી પાર કરી જશો.
હનુમાન પાછળ ભગવાન રામ પ્રકાશિત થાય છે,
બહાર નહીં, પણ તેમની આંતરિક ઉપસ્થિતિરૂપે.
આ જ રહસ્ય છે:
.......જ્યારે તમે મનને શાંત કરો છો,
તમારું ભાવ પારદર્શક કરો છો,
ત્યારે ભગવાન તમારી અંદરથી જ પ્રગટ થાય છે.
હનુમાન ક્યારે ય શક્તિ માગતા નથી — તેઓ તો દૈવી ઇચ્છાના પાત્ર બન્યા છે.
તેમની શક્તિ છે ....... ભક્તિ,
તેમની બુદ્ધિ છે .........વિવેક,
અને તેમનો ઉત્સાહ છે ............અડગ શ્રદ્ધા.
સારાંશ
શક્તિ એ આપણી સચોટ જરૂરિયાત છે
— શરીરની શક્તિ,
— મનની શક્તિ, અને
— આત્માની શક્તિ.
હનુમાનની ઉપાસના કરો, તેમની જેમ ધ્યાનમાં તલ્લીન થાઓ, તમારા દરેક કર્મની પાછળ ઉભેલા ભગવાનને જાગૃત કરો.
સૌથી સામાન્ય માનવી પણ જો તે હનુમાનના સ્વરૂપ પર ધ્યાન કરે અને તેમનાં તત્વને પોતાના અંદર જીવે
તો તે પણ અહંકારથી નહીં, પણ નિઃસ્વાર્થતા, સ્પષ્ટતા અને ભક્તિથી જન્મેલી ઊર્જાથી.વિજય મેળવી શકે છે.

